



સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ - અમદાવાદ
સંસ્થાનો પરિચય
મૂલ્યનિષ્ઠ અને જીવનલક્ષી વાંચનની દ્રષ્ટિએ દાયકાઓથી બૃહદ ગુજરાતના હજારો હજારો કુટુંબોમાં સ્વજનસમું બની રહેલું સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયની સ્થાપના ઈ.સ.૧૯૦૭ માં થયેલ અને ૧૧૫ વર્ષ પુરા કરી ૧૧૬ મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ભિક્ષુ અખંડાનદે મુંબઈ મુકામે ઈ.સ.૧૯૦૭ માં અક્ષયતૃતીયા (૧૫મી મે) ના દિવસે સસ્તુ સાહિત્યનો આરંભ કર્યો એની પાછળ પણ એક કથા રહેલી છે. પૂર્વાશ્રમમાં બોરસદના લલ્લુભાઈ જગજીવનદાસ ઠક્કર અઠ્ઠાવીસ વરસની તરુણ વયે ઈ.સ.૧૯૦૪ માં શિવાનંદ સ્વામી પાસે સંન્યસ્ત દીક્ષા લીધી તે પછી અખંડાનંદ યાત્રા અને આરંભિક સ્વાધ્યાયને અંતે તેઓ હિમાલય ભણી જવા વિચારતા હતા એવામાં એકવાર મુંબઈમાં એકાદશ સ્કંધને ગીતા સરખાં ધર્મપુસ્તકો લેવા જતાં તે ઘણાં મોંઘા જણાયું એટલે એમને એવો તો ધક્કો લાગ્યો કે હિમાલય યાત્રા મોકૂફ રાખી સર્વ સુલમ સોંઘા પ્રકાશનો કરવાનો સંકલ્પ લીધો. ગુજરાત બેઠા હિમાલયનું આરોહણ, જાણે !
